Wednesday, November 23, 2011

મારું સ્મિત




મારી દીકરી લાગે ખુબ વ્હાલી 
નાની અમસ્તી બોલતી એ 
આમ તેમ રમતી 
લાગે જાણે એક કવિ ની સુંદર કૃતિ 
લાગે જાણે ચિત્રકાર ની એક અદભુત રચના 
દોડતા દોડતા પડી જાય ત્યારે
લાગે જાણે ફુલ ના ઢગલા સમી 
એના ખીલખીલાટ હાસ્ય ને
ખોબલો ભરી ભેગું કરું 
પછી એ જ હાસ્ય થી 
અખો દિવસ મારા ચેહરા ને ભર્યા કરું 
રેહતા રેહતા વિચાર આવી જાય બહુ 
દીકરી મોટી થઇ જશે ત્યારે....????


પલક 

Thursday, August 25, 2011


Here Is My Angle.... 
નંદ  ઘેર  આનદ ભયો  જય કનૈયા લાલ કી 
haapy Janmashtmi 


Thursday, August 4, 2011


બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે
હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે

જો મૌન થઈને તું મારા હ્રદયમાં રહી ન શકે
તો આવ હોઠ સુધી ... શબ્દ થઈ ઊડી જાજે

હું શ્વાસ શ્વાસનું સામીપ્ય ઝંખતોય નથી
હું ગૂંગળાઉં નહીં એ રીતે વહી જાજે

તૂટું તૂટું થઈ રહી છે સંબંધની ભેખડ
જવું જ હોય તો હમણાં જ નીકળી જાજે

જવું જ હોય તો રોકી શકે છે કોણ તને?
હું તો અહીં જ હઈશ, જો આવે  તો મળી જાજે


Friday, July 22, 2011

ડાયરી ના થોડા પાના ....

                                                                            

                                       એક મિત્ર   મીઠાઈ ની દુકાને મળી ગયા. મને કહે- ‘આજે માનું શ્રાદ્ધ છે. માને લાડુ બહુ ભાવે એથી લાડુ લેવા આવ્યો છું.’ મારા આશ્વર્યનો પાર ન રહ્યો. હજી પાંચ મીનીટ પહેલાં તો હું એમની માને શાકમાર્કેટમાં મળ્યા હતા .. હું કાંઈ બોલું તે પહેલાં ખુદ એ માતાજી હાથમાં થેલી લઈને ત્યાં આવી પહોંચ્યા. મે  મિત્ર ના  બરડે ધબ્બો લગાવતા પુછયું- ‘ભલા માણસ, આ શી મજાક માંડી છે…!માજી તો આ રહ્યાં તારી બાજુમાં…!’ મીત્રએ માતાના બન્ને ખભા પર હાથ મુક્યો અને હસીને કહ્યું:

 ‘ના ના  વાત એમ છે કે મા ના મર્યા બાદ ગાય- કાગડાને વાસમાં લાડુ મુકવાને બદલે હું માના ભાણામાં લાડુ મુકી એમને જીવતાજીવત જ તૃપ્ત કરવા માગું છું. હું માનું છું કે જીવતાજીવત જ માબાપને સર્વે વાતે સુખી કરો એ સાચુ શ્રાદ્ધ ગણાય!’


એમણે આગળ કહ્યું: ‘માને ડાયાબીટીશ છે. પણ એમને સોસીયો બહુ ભાવે છે. હું એમને માટે સોસીયો હંમેશા ફ્રીઝમાં રાખું છુ. ખાજલી, સફેદ જાંબુ, કેરી વગેરે એમની ભાવતી આઈટેમ છે. તે બધું જ હું એમને ખવડાવું છું. શ્રદ્ધાળુઓ મંદીરે જઈ અગરબત્તી સળગાવે છે. હું મંદીરે જતો નથી. પણ માના સુવાના ઓરડામાં કાચબાછાપ અગરબત્તી સળગાવી આપું છું. સવારે મા ગીતા વાંચવા બેસે ત્યારે માના ચશ્મા જાતે સાફ કરી આપું છું. મને લાગે છે કે ભગવાનનો ફોટો કે મુર્તી સાફ કરવા કરતા ઘરડી માના ચશ્મા સાફ કરવાથી વધુ પુણ્ય મળે છે!’


                                         આપણે વૃદ્ધોના મૃત્યુ બાદ શ્રાદ્ધ કરીએ છીએ. જ્ઞાતીને લાડુ દુધપાકનુ જમણ જમાડીએ છીએ. રીવાજ ખાતર ભલે તેમ કરવું પડતું, પણ યાદ રહે ગાય- કાગડાને ખવડાવેલુ કદી ઉપર પહોંચતું નથી. અમેરીકા અને જાપાનમાં પણ સ્વર્ગ માટેની કોઈ ‘ટીફીનસેવા’ હજી શરુ થઈ નથી. માવતરને જીવતાજીવત જ બધાં સુખો આપીએ તે ઉત્તમ શ્રાદ્ધ ગણાય.


                                 એક સત્ય સમજી લેવા જેવું છે. દીકરાઓ ગમે તેટલા શાણા, સમજુ અને પ્રેમાળ હોય તો પણ ઘડપણની લાચારી,પીડા અને અસહાયતાનો તેમને ખ્યાલ આવી શકતો નથી. આંખે દેખાતું બંધ થયા પછી જ અંધાપાની લાચારી સમજાય છે. એ સંજોગોમાં વૃદ્ધોને પૈસા કરતાં પ્રેમની અને ટીકા કરતાં ટેકાની વધુ જરુર પડે છે.આજના તણાવયુક્ત જીવનમાં દીકરાઓને માથે પણ તરેહ તરેહના ટેન્શનો અને જવાબદારીનું ભારણ હોય છે. તેઓ ઈચ્છવા છતાં માબાપની પુરી કાળજી લઈ શકતા નથી. એવા દીકરાઓને કંઈકે માફ કરી શકાય. પરંતુ કેટલાંક યુવાનો પત્ની અને સંતાનોની કાળજી લે છે તેટલી ઘરડા માબાપોની નથી લેતા.


                                             સમાજના મોટાભાગના વૃદ્ધો અનેક પ્રકારની અવહેલના ઝીલી  જીવે છે. એવાં દીકરાઓ માબાપને પાશેર ખમણ ખવડાવતાં નથી અને મર્યા બાદ હજારો રુપીયા ખર્ચીને જ્ઞાતીને જમાડે છે. ભાતમાં વહુ અડધી પળી ઘી મુકી નથી આપતી, પણ સ્મશાને ચીતા પર તેના શરીરે કીલો ઘી ચોળવામાં આવે છે. મર્યા બાદ બ્રાહ્મણોને દાન આપવામાં આવે… તીર્થસ્થળોએ જઈ શ્રાદ્ધ કરવામાં આવે. આ બધી અનપ્રોડક્ટીવ એક્ટીવીટી છે. જુની પેઢીના લોકોની એ જર્જરીત મનોદશામાં કોઈ પરીવર્તન આવવાનું નથી. પરંતુ આજના યુવાનો એવા ખોખલા રીવાજને તીલાંજલી આપે તે જરુરી છે.


                               હમણા જાણીતા શાયર દેવદાસ- ‘અમીર’ની એક પુસ્તીકા હાથે ચડી ગઈ. એમાં રમેશ જોષીનું એક વાક્ય વાંચવા મળ્યું- ‘જયારે હું નાનો હતો અને આંખમાં આંસુ આવતા ત્યારે મા યાદ આવતી. આજે મા યાદ આવે છે ત્યારે આંખમાં આંસુ આવે છે…!” સંતો કહે છે, નાનપણમાં આપણે ચાલી નહોતા શકતા ત્યારે માબાપ આપણી આંગળી ઝાલતા. હવે તેઓ ચાલી નથી શકતા ત્યારે તેમનો હાથ ઝાલવો જોઈએ!


                                   વારંવાર એક વાત સમજાય છે. ઘરડા માબાપને તીર્થયાત્રા કરવા ન લઈ જાઓ તો ચાલશે, પણ તેમનો હાથ ઝાલીને આદરપુર્વક સંડાસ સુધી દોરી જશો તો અડસઠ તીર્થનું પુણ્ય મળશે. કહેવાય  છે માબાપ બે વખત રડે છે. એક દીકરી ઘર છોડે ત્યારે… અને બીજું દીકરા તરછોડે ત્યારે. પણ માએ તો જીંદગીભર રડવાનું જ હોય છે. છોકરાં નાના હોય અને જમે નહીં એટલે મા રડે અને એ છોકરાં મોટા થઈને જમાડે નહીં ત્યારે મા રડે છે! સંજોગોની એ વીચીત્ર વીટંબણા છે કે જે બાળકને માએ બોલતા શીખવ્યું હોય એ દીકરો મોટો થઈને માને ચુપ રહેવાનું કહે છે. (જોકે વ્યવહારુતા એમાં છે કે સંતાનો પુછે નહીં ત્યાં સુધી તેમને કોઈ સલાહ ના આપવી. એમ કરવું એ ઘડપણની શોભા પણ છે અને જરુરીયાત પણ)


માતૃપ્રેમ વીશે લોકકવીઓએ ઘણું લખ્યું છે.કવી ધરમશીએ લખ્યું છે- ‘પહેલાં રે માતા… પછી રે  પિતા... પછી લેવું પ્રભુનું નામ… મારે નથી જાવું તીરથધામ…!’ 


પણ હવે સમય અને સમાજ બન્ને બદલાયાં છે. લોકોના વાણી, વર્તન અને જીવનશૈલી પર પશ્વીમની અસર થઈ છે. જે મા દીકરાને ગર્ભમાં રાખે છે તેને દીકરા ઘરમાં રાખવા માંગતા નથી. 


 કવિ ગુલાબદાન કહે છે: ‘ગરીબ માની ઝુપડીમાં કોઈ’દી સાંકડ નહોતી થાતી… આજે પાંચ પુત્રોના પાંચ બંગલામાં એક માવડી નથી સચવાતી… તો શરમ, મરજાદ અને સંસ્કૃતી ક્યાં ગઈ જે ગૌરવ આપણું ગણાતી…?આલીશાન બંગલામાં પોષાય નોકર … એક માવડી નથી પોસાતી…!


અમારા બચુભાઈ કહે છે: ‘આણંદના ગોટા અમદાવાદ સ્ટેશને ખાવા મળતા નથી. તેમ જુવાનીના સ્ટેશન પર ઘડપણના દુ:ખોનો અંદાજ આવી શકતો નથી. નર્કની પીડા આપણે અનુભવી નથી. પરંતુ નર્કની ભયાનકતાથી બચવા આપણે નીયમીત ભગવાનની ભક્તી કરીએ છીએ, તેમ ઘડપણની યાતનાનો ખ્યાલ ભલે આજે ન આવે પણ તે દુ:ખોની કલ્પના કરીને આપણે વૃદ્ધોની પ્રેમથી સાર સંભાળ રાખવી જોઈએ. માર્ગ પરથી કોઈનું મૈયત જઈ રહ્યું હોય ત્યારે ઘણા રાહદારીઓ હથ જોડીને પગે લાગે છે. તેઓ મરનારને ઓળખતા હોતા નથી. પણ મૃત્યુની અદબ જાળવવા નમન કરે છે. સંસારનો દરેક વૃદ્ધ આદરને પાત્ર હોય કે ન હોય પણ વૃદ્ધાવસ્થા એ જીવનયાત્રાનું અંતીમ સ્ટેશન છે. જીવનભરના તમામ કર્મોનો હીસાબ કરીને માણસ અનંતની યાત્રાએ ઉપડી જાય છે. એથી પ્રત્યેક દીકરાએ માબાપની પુરી કાળજી લેવી જોઈએ.


                                               દીકરાઓ દુનીયાની દોડમાં હાંફી રહ્યાં છે. તેમની પાસે સમય નથી. ઘરડા માબાપ એ વાત સમજે છે. છતાં ઘડપણમાં તેમને દીકરા જોડે બેસીને વાત કરવાની ઈચ્છા થતી હોય છે. ઘડપણની આ પણ એક જરુરીયાત છે, ઘરડા થયા વીના એ સમજી શકાતી નથી. વીદેશમાં એક મા દીકરાને પુછે છે: ‘બેટા, તું એક કલાક નોકરી પર મોડો જાય તો તારો કેટલો પગાર કપાય?’ દીકરો કહે છે: ‘એક કલાક મોડો જાઉં તો મારા પચાસ ડૉલર કપાઈ જાય!’ મા કહે છે: ‘બેટા, મેં થોડા દીવસની મહેનત કરીને પચાસ ડૉલર ભેગા કર્યા છે. તું પચાસ ડૉલર લઈ લે અને મને તારો એક કલાક આપ…




માણસ થી મોટું તીર્થ નથી કોઈ પ્રેમનું,
હું છુ પ્રથમ મુકામ, લે મારાથી કર શરૂઆત.

જિંદગી ને જીવવાની ફીલુસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી માણી લીધી.


Monday, July 11, 2011

માવતર એ જ મન્દીર




જીવતાં માબાપને સ્નેહથી સંભાળજો, ખવડાવશો–પીવડાવશો;
પછી ગાયના પુંછડે પાણી ઢોળવાથી શો ફાયદો ?
એક વાર ‘રાબ’ ખાવાની ઈચ્છા એમની સ્નેહથી સ્વીકારશો;
પછી ગામ આખાને લાડવા ખવડાવવાથી શો ફાયદો ?
મસ્તક પર હાથ ફેરવી ‘બેટા’ કહેનારના લાડને માણી લેશો;
પછી ચીરવીદાયે પાછળ ‘સપ્તાહ’ બેસાડવાથી શો ફાયદો ?
બેઠા છે ‘ભગવાન’ આપણા જ ઘરમાં એમને ઓળખી લેશો;
પછી અડસઠ તીરથ કાજે દર દર ભટકવાથી શો ફાયદો ?
સમય કાઢી ઘરના એ વૃદ્ધ વડલા પડખે બેસી લેશો;
પછી બેસણામાં ફોટા સામે બેસી–બેસાડીને શો ફાયદો ?
લાડકોડથી ઉછેરનારાં માવતરને સદાય હૈયે વસાવી રાખશો;
પછી દીવાનખંડમાં તસ્વીર રાખવાથી શો ફાયદો ?
હયાતીમાં જ હૈયું એમનું ઠારી સ્વર્ગ સમ સુખ આપશો;
પછી ગંગાજળે અસ્થી પધરાવવાથી શો ફાયદો ?
‘માવતર એ જ મન્દીર’ – આ સનાતન સત્ય સમજી રાખશો;
પછી ‘રામનામ સત્ય છે’ રટવાથી શો ફાયદો ?


પલક 

Thursday, July 7, 2011

શ્રદ્ધાંજલિ.....




માં ના થાય છે સદા ગુણગાન
પરંતુ બંને છે એકસમાન
માં છે વિધાતા
તો પિતા છે જન્મદાતા
કેહવાય છે " માં વિના સુનો સંસાર"
તો પિતા વિના લાચાર સંતાન
માં લડાવે છે લાડ ..તો પિતા કરે છે પુરા કોડ
માં વિના ભાવે ના ભોજન ...
તો પિતા વિના પૂરું થાય ના સિંચન
માં આપે છે જન્મ
તો પિતા આપે છે સંસ્કાર કર્મ
માં નથી તારો પાલવ
ના છે પિતા તણો માથે હાથ
નથી મારી કોઈ દલીલ , બસ એક જ છે રજૂઆત
કહું છું એ ખ્યાલ થી કે
માતા પિતા બંને નો સાથ ઝંખે છે સંતાન


તમારી સ્મૃતિ ને અર્પણ ...... પલક 

Tuesday, June 21, 2011

તારી બેવફાઈ



પ્રેમ કરું છું હું ફક્ત અને ફક્ત તને
પરંતુ તે મને ત્યજી દીધી
એવી તે કઈ ભૂલ હતી મારી
એક વાર આવી ને મારી ભૂલ બતાવી જા
દિલ કહે છે એક વાર આવી ને મને સતાવી જા
દિલ ના ઘાવ પર અસર કરે
એવો મરહમ આપી જા
મરહમ ના આપી શકે તો આ શ્વાસ ની દોર કાપી જા
નથી બદનામ કરતી હું
દુનિયા સામે તારું નામ લખી ..
પણ વ્યક્ત કરું છું
તારી જ બેવફાઈ આ કવિતા થાકી
તારી સામે વ્યક્ત કરું છું
મારી જ હતી ભૂલ કે માંગ્યો તારો લાંબો સાથ
પરંતુ સાથ આપવાને બદલે તે કર્યો વિશ્વાસઘાત
દુઆ કરું છું કે જલ્દી ભૂલી જાઉં
હું દિલ ની આ નાદાની
કદાચ તને ભૂલવા પડી જાય આ જિંદગી પણ નાની

Sunday, May 1, 2011

એ સ્પર્શ .... !!!!





એક વાર હોઠ પર શબ્દ નો હળવો સ્પર્શ મૂકી મૌન ચિત્રવત આંખો માં બંધાઈ ગયું
ભરતી ના સમુદ્ર સમું ગંભીર તોફાન અને મુશળધાર વરસાદ .....એ સાંજે ......
સમગ્ર પહાડી પર પીગળતું રહ્યું ધુમ્મસ ....
અને ઘેઘુર વૃક્ષો ના ઘેરાં નાદ વચ્ચે ...
હળવો સો ગભરુ અવાજ ....
હું હિમશીલા તો નહોતો છતાં .....
મીણ ની જેમ થીજી ગયો હતો ...

કોઈ જર્જરિત ખંડેર ની મૂક દીવાલો જેમ .....
જયારે અનુભવ્યો .....
એ સ્પર્શ ....

આ પંક્તિ ઓ લખતી વેળા એ મેં એમ નહોતું વિચારું કે કોઈક દિવસ મારી ડાયરી ના પાનાઓ વચ્ચે થી ઉડી ને મારા બેશકીમતી ખજાના માં શામેલ થઇ જશે ॥ પણ મને ખરેખર ખુશી છે કે હું મારી વર્ષો ના સપના ને અહી સાકાર થતા જોઉં છું ॥ બસ આજ મારી યાદો છે જીવનભર ની ... પલક

Saturday, April 30, 2011

આપણો સંબંધ



આજે ખુબ જૂની કવિતા અહી લખવા નું
મન થાય છે . આ કવિતા ૨૦૦૨ માં જુલાય ૧૬ એ લખેલી હતી . આજે થયું એ જુનો ખજાનો મારા આ ખજાના માં ઊમેળી લઉં . આપ સૌ મિત્રો ને પસંદ આવે એવી આશા સાથે હું અહી પોસ્ટ કરું છું ....


ફૂલ થઈને મેહ્કી રહ્યો છે આપણો સંબંધ
મસ્ત થઇ ને એ ચેહ્કી રહ્યો છે આપણો સંબંધ
દુનિયા માં સહુ બંધન તોડી આજ
મુક્ત ઝરણું થઇ વહી રહ્યો છે આપણો સંબંધ

કૈક એવું આગવું અસ્તિત્વ લઇ મધુર,
ગીત ગઈ રહ્યો છે આપણો સંબંધ
ઈર્ષ્યા ની આગ માં લપેટાઈ ને
સઘળે ચર્ચાઈ રહ્યો છે આપણો સંબંધ
સાત ફેર ...
તારા હાથ માં હાથ લઇ ને ...
એક મેક માં જોડાઈ રહ્યો છે આપણો સંબંધ
જન્મ જન્મ ની ઈચ્છા પૂર્ણ થી આજ
પવિત્ર બંધને બંધાઈ રહ્યો છે આપણો સંબંધ


પલક

Wednesday, February 9, 2011

સપ્તપદી




ઓમ ઇષ એકપદી ભવ
ઈશ્વર ની કૃપા થી સૌભાગ્ય શક્તિ મળે .

ઓમ ઉર્જે દ્વિપદી ભવ
ઈશ્વર થી કૃપા થી એકબીજા વડે બળવાન થઈએ

ઓમ રાય સ્પોષાય ત્રિપદી ભવ
ઈશ્વર ની કૃપા થી ધનધાન્ય નું પોષણ કરીએ

ઓમ માયોભ્હ્વ્યાય ચતુર્ષ્પદી ભવ
ઈશ્વર ની કૃપા થી અમે એકબીજા ને સુખી કરીએ

ઓમ પશુભ્ય: મશ્ચપદી ભવ
ઈશ્વર ની કૃપા થી અમે મળી ને પશુપ્રજા પાલન કરીએ

ઓમ રુતુભ્ય ઋતુભ્ય: ષ્ટ્પદી ભવ
ઈશ્વર ની કૃપા થી ઋતુ ઋતુ માં સુખ ભોગવીએ

ઓમ સખ્યાય સપ્તપદી ભવ
ઈશ્વર ની કૃપા થી મૈત્રી સાધી ને એકબીજા ને અનુસરીએ

પલક

Wednesday, February 2, 2011

પૈસો ને લક્ષ્મી એક નથી.


પૈસો કૃત્રિમ વસ્તુ છે.
છાપખાનામાં એક ઠપ કર્યો કે રૂપિયાની નોટ.
એક ઠપ કર્યો કે સો રૂપિયાની
એક ને સો રૂપિયા માટે સરખો પરિશ્રમ.
આવી છે, પૈસાની ઘટોત્કચની માયા !

અનાજ લક્ષ્મી છે.
એક શેર અનાજ ઉત્પન્ન કરવા
જેટલો પરિશ્રમ કરવો પડે
તેના કરતા બે શેર માટે બમણો કરવો પડે.

પૈસાની કીમત કાયમ ઓછીવત્તી થયા કરે.
આજે અમુક રકમમાંથી ચાર શેર અનાજ મળે,
તો કાલે બે શેર
અને પરમ દિવસે એક શેર પણ થઈ જાય !
એટલે તેને હું લફંગો – લબાડ કહું છું.
આજે એક બોલે અને કાલે બીજું !

લક્ષ્મીનું તો સ્થિર મૂલ્ય છે
પહેલાં જેટલા અનાજથી પેટ ભરાતું
આજે પણ તેટલા જ અનાજથી પેટ ભરાય છે.
લક્ષ્મીનું સ્વરૂપ પૈસા જેવું માયાવી નથી
કે ઘડીએ ઘડીએ તેના રંગ બદલાય.

લક્ષ્મી દેવતા છે, પૈસો દાનવ
પૈસાને આપણે લક્ષ્મી માની લીધી છે !
આનાથી મોટો ભ્રમ બીજો કયો હોય?

લક્ષ્મી તો હાથની આંગળીઓમાં વસે છે,
કરાગ્રે વસતે લક્ષ્મી !

- વિનોબા

Tuesday, January 18, 2011

હવે પ્રેમમાં કંઈકતો આગળ મોકલ..!


તારા સંદેશામાં કાળું વાદળ મોકલ…
કે હું જાતે ઉકેલીશ કોરો કાગળ મોકલ…
તારી રાહમાં સમંદર ઉલેચી નાખ્યો,
હવે તારી આંખમાંથી થોડું કાજળ મોકલ…
તારા સમ હું એને સાચવીશ જીવ જેમ,
તું વહેલી પરોઢનું ઝાકળ મોકલ…
રણમાં ભટકતા આ તરસ્યાની માટે,
તું ખોબો ભરીને મૃગજળ મોકલ….
અમે આંખોમાં ખૂબ-ખૂબ વાંચ્યું પ્રિયે,
હવે પ્રેમમાં કંઈકતો આગળ મોકલ…।


Tapan Patel.

Friday, January 14, 2011

પતંગ...!!!1




પતંગનો ઓચ્છવ
એ બીજું કંઈ નથી, પણ
મનુષ્યના ઉમળકાઓનો છે ઘૂઘવતો વૈભવ !

નભની ઊંડીઊંડી ઉદાસીઓને લૂછવા
નભની ભડભડતી એકલતા ભૂંસવા
આજે આ કોરાકટ આકાશ માં

ઉંમગના રંગોમાં ઝબકોળી-ઝબકોળી
પ્રીતિની પીંછી ફેરવતા
પતંગ

જાણે એં મારા સપના ના રંગો
જાણે એં મારા મન ના તરંગો
જાણે એં મારા પ્રેમ ની છબી

પતંગ પર લખ્યો
મેં એક સંદેશો
જે પહોચે મારા પીહુ પાસે
મારા મન ની એ પ્રીત પહોચે
આ પતંગ સાથે