Wednesday, November 10, 2010

જીવનના સાત પગલા


* જન્મ———-એક અણમોલ સોગાદ છે, જે ભગવાન ની ભેટ છે.
* બચપન——મમતાનો દરિયો છે, પ્રેમથી દરિયો
છે, જે ડૂબી શક્યો તે તરિયો છે.
* તરુણાવસ્થા—-કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે,મેળવવાની અનહદ આશ છે, લૂટવાનીતમન્ના છે.
* યુવાવસ્થા——બંધ આંખોનું સાહસ છે, જોશછે…ઝનૂન છે, ફના થવાની ઉમ્મીદો છે,કૂરબાની નીઆશાઓ છે, લૂટાઇ જવાની ખ્વાહિશ છે.
* પ્રૌઢાવસ્થા—–ખૂદને માટે કંઇ ન કરી શકતાં મેળવીને આપવાની પણ ખૂશી છે, કુટુંબ માટે કુરબાનથવાની જીજીવિશા છે.
* ઘડપણ——–વિતેલા જીવનનો સરવાળો છે,મારા આપણાનો વહેવાર છે, જેવું વાવ્યું હતું તેવુંલણવાનો સમય છે.
* મરણ———–જીન્દગીની કિતાબ ખૂલશે, નાડીએ-નાડીએ કર્મ તૂટશે, પાપ -પૂણ્યનો મર્મ ખૂલશે,કર્મ- ધર્મ નો હિશાબ થશે, સ્વર્ગ-નર્કનો માર્ગ થશે, પોતાનાનો પ્યાર છૂટશે. સાત પગલા પૂરા થશે…..

No comments:

Post a Comment

thanks for ur valuable comment