Saturday, June 19, 2021

ગૃહિણી


ગૃહિણી તરીકે જીવી ગયેલી અનેક સ્ત્રીઓ સામાન્ય રીતે એવી ફરિયાદ કરતી હોય છે કે એમણે એમની આખી જિંદગી બરબાદ કરી નાખી અને જીવનમાં કશુંક કરી શક્યા નહીં. વાત કદાચ ખોટી પણ નથી... લગ્ન થાય ત્યારે બે જણાં પોતપોતાના સપનાં લઈને ભેગા થાય છે. આગળ વધવાના, સાથે સાથે જીવવાના, સંસારને-'સમ+સાર' બનાવવાના વચન સાથે... સમ એટલે સરખો અને સાર એટલે એનો રસ, મૂળ તત્વ અથવા ઉત્તમ એસ્ટ્રેક્ટ. 
આમાં એક જણ બહુ ઝડપથી દોડવા લાગે છે. એ મહત્વકાંક્ષી હોય છે, એના સપનાં કદાચ વધુ મોટાં અને વધુ તેજસ્વી હોય છે... બીજી વ્યક્તિ ક્યારેક પોતાના સપનાં જતાં કરીને સાથેની વ્યક્તિને આગળ વધવાની તક આપે છે. આ સમર્પણ કે બલિદાન નથી, સહયોગ છે, સહકાર છે અને સ્નેહ છે ! આગળ વધેલી વ્યક્તિએ પોતાની સાથે પ્રવાસે નીકળેલી વ્યક્તિને ભૂલીને દોડવાને બદલે થોડી થોડી વારે અટકીને એ પાછળ આવે છે કે નહીં એટલું જરૂર જોતા રહેવું જોઈએ. હાથ પકડીને સપ્તપદીના વચન આપ્યા હોય એવા પતિ-પત્ની, સંતાન માટે પોતાની કેટલીયે ખુશીઓ કે સ્વપ્ના જતાં કર્યાં હોય એવા માતા-પિતા કે કોઈક મિત્રને પાછળ છોડીને આગળ વધી ગયેલા લોકો સફળ હોઈ શકે, પરંતુ સુખી નથી થતા.

No comments:

Post a Comment

thanks for ur valuable comment