Saturday, May 18, 2013



માનવીનું સંવેદન દીકરી માટે લગભગ એક્સરખું જ હોય છે. દીકરી જ્યારે પરણીને સાસરે જાય છે ત્યારે 

સૌથી વધુ વ્યથિત પિતા જ હોય છે. 



મને કહે, મારી પાછળ તું જે ખાલીપો મૂકીને ગઇ છે

તે ખાલીપો હું
કઇ રીતે ભરું?

આવતી કાલ કઇ રીતે ગઇ કાલ બની ગઇ?

મને ખબર નથી કે મારા આંસુઓની નદીને કઇ રીતે રોકું?

જે નદી ભરવામાં જ એક સદી જતી રહી છે

હું અહીં મારા હાથ ફેલાવીને ઊભો છું -

જેમાં તે તારી જાતને સુરક્ષિત માની,

જ્યાં સુધી તને ઊડતાં ન આવડ્યું

મને કહે, ‘તારાં સ્વપ્નાં પૂરાં કરવા માટે

મારાથી દૂર કેમ જાય છે?

તને ઊડતાંઆવડી ગયું છે.

હું રડવાની જગ્યાએ કઇ રીતે હસું?

તારી વિદાયને શુભવિદાય કેમ કહું?’


Pal

1 comment:

  1. Dikari ne laad prem thi uchherva ma rachya pachya rehnaar pita na hraday ne kaun samjave ke "Amaanat" ne "Jagir" samjva ni bhool na karay!!!

    ReplyDelete

thanks for ur valuable comment